નવી દિલ્હી: નિકિતા તોમર હત્યાકાંડ (Nikita Tomar murder case) માં પોલીસે હત્યામાં ઉપયોગમાં લીધેલા ગેરકાયદેસર પિસ્તોલ જપ્ત કરી છે. તૌસીફ અને રેહાન જે I-20 કારથી નીકિતાની હત્યા કરવા પહોંચ્યા હતા તે દિલ્હીના કોઈ વ્યક્તિના નામ પર રજિસ્ટર્ડ છે. આ વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે અને કાર પણ જપ્ત કરી લેવાઈ છે. આ બધા વચ્ચે પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે તૌસીફે ગેરકાયદેસર રીતે મેળવેલી પિસ્તોલથી નીકિતાની ગોળી મારીને હત્યા કરી હતી. આરોપી તૌસીફનો ફોન પોલીસને હજુ મળ્યો નથી. પોલીસના જણાવ્યાં મુજબ આરોપીએ ફોન તોડીને ક્યાંક ફેકી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીકિતાના પરિજનોનો આરોપ, ખુબ વગદાર છે તૌસીફનો પરિવાર, સોનિયા ગાંધી સુધી છે પહોંચ


મુખ્ય આરોપી તૌસીફ અને તેના સાથી રેહાનની ધરપકડ થઈ છે. બંને ક્રમશ: ગુરુગ્રામ અને નૂંહ જિલ્લાના રહીશ છે. બંનેને ફરીદાબાદ જિલ્લા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. આ બંને આરોપી હાલ રિમાન્ડ પર લેવાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી તૌસીફે ગુનો કબુલ્યો છે. 


VIDEO: ધોળે દિવસે યુવતીની કોલેજની બહાર ગોળી મારીને હત્યા, ઘટના CCTVમાં કેદ


તૌસીફનું નિવેદન
તૌસીફે પોલીસને જણાવ્યું છે કે તે MBBS એટલા માટે કરી શક્યો નહીં કારણ કે વર્ષ 2018માં તેના પર નીકિતાના અપહરણનો કેસ દાખલ થયો હતો. સૂત્રોનું માનીએ તો તૌસીફનું કહેવું છે કે તે નીકિતા સાથે લગ્ન કરવા માંગતો હતો. હત્યાના એક દિવસ પહેલા બંને વચ્ચે 1000 સેકન્ડ વાત થઈ હતી. તૌસીફે જણાવ્યું કે નીકિતાએ લગ્ન માટે ના પાડી દીધી આથી તેણે તેની હત્યા કરી નાખી. તે જબરદસ્તીથી તેને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. પણ તેણે ના પાડી દેતા પછી તેણે ગોળી મારી દીધી. હરિયાણા પોલીસ આ કેસ માટે સ્પેશિયલ PP નિયુક્ત કર્યા છે અને 30 દિવસની અંદર પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે. 


આ બાજુ તૌસીફના કાકા જાવેદનું કહેવું છે કે તેઓ હાલના સમયમાં છોકરીના પરિજનોની પડખે છે. તેમણે કહ્યું કે તૌસીફને તો જે પણ સજા કોર્ટ આપશે તે અમને મંજૂર છે. અમે તેના માટે કોઈ વકીલ નહીં કરીએ. અમે બધા ધર્મોને માનીએ છીએ. જો પરિવાર લવ જેહાદનો આરોપ લગાવી રહ્યો હોય તો અમે તેનું ખંડન કરતા નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube